પ્રિય સમીર,

તારી જોડે બે મહિના ફર્યા પછી મારી લાગણીઓ મા મે એક અનોખી સુગંધ અનુભવી છે. મને નથી ખબર કે આ પ્રેમપત્ર છે કે નહી, પણ આ શબ્દો મારા દિલરૂપી કલમ થી લખાઈ રહ્યા છે. મે જ્યારે મારા હૈયા ને પ્રશ્ન પુંછ્યો કે “શું આ ઉર્મિઓ એકતરફી છે?” ત્યારે મારા હૈયાએ હસી ને જવાબ આપ્યો “ના”.

કારણકે મે પણ તારા પ્રેમની લાગણીઓ ને મારા હ્રદયમા પ્રવેશતા અનુંભવી છે. એવું લાગી રહ્યું છે કે કોઈ મુસાફીરને ઘણું ભટક્યા પછી કોઈ સાચો રસ્તો મળી ગયો હોય અને ઘણા વર્ષોથી ઉજ્જડ રહેલી જમીન પર આજે મુંશળધાર વરસાદ પડ્યો હોય. હવે મારા દિલની બસ એક જ તમન્ના છે કે જે નીલું આકાશ અને સુર્યાસ્ત આપણે અત્યાર સુંધી અલગ અલગ જોયા છે, તે કોઈ સુંદર સમુદ્રના કિનારે એકબીજાનો હાથ પકડીને નિહાળીયે.

હુ મારા પ્રત્યેક રોમમા તારા પ્રેમની લાગણીઓ નો વસવાટ થયેલો છે તેમજ આપણા પ્રેમની નદીઓ મળીને એક પ્રેમ ના સાગર મા ભળી જાય તેવું માનીને કંઇક લખું છુ.

“હુ તને દિલથી પ્રેમ કરૂ છુ”

ફ્કત તારો જ,
અનિલ